કળયુગની છેલ્લી રાત્રે શુ થશે? એ ભયાનક રાત વિષે વિષ્ણુપુરાણની ભવિષ્યવાણી

વિષ્ણુપુરાણની ભવિષ્યવાણી અનુસાર કળિયુગ જ્યારે પોતાના છેલ્લા ચરણમાં પહોંચી જશે ત્યારે બધીજ રાતો પહેલાથી પણ ભયાનક અંધકાર વાળી થઈ જશે.

0
41
vishnupuran, વિષ્ણુપુરાણ
કળયુગની છેલ્લી રાતે પ્રકૃતિ અસ્થિર થઈ જશે.

રોજિંદા જીવનમાં આપણે ઘણી વખત ઘોર કળિયુગના વિષે વાત કરતા હોયે છીએ. દુનિયામાં વધતા જતા પાપ અને ગુનાહોને જોતા આપણે ઘણી વાર કળિયુગની ચરમસીમા વિષે વાતો કરતા હોઈયે છીએ. આજના સમયમાં આપણે ઘણી વખત લોકોને એવુ કહેતા પણ સાંભળ્યા છે કે, ખબર નહીં ક્યારે આ કળિયુગ ખતમ થશે. તો ચાલે આપણે જાણીએ કે, કળિયુગની છેલ્લી રાત વિષે વિષ્ણુપુરાણમાં શુ લખ્યું છે.

વિષ્ણુપુરાણમાં કળિયુગના બધા જ ચરણ વિષે લખ્યું છે, વિષ્ણુપુરાણની ભવિષ્યવાણી અનુસાર કળિયુગ જ્યારે પોતાના છેલ્લા ચરણમાં પહોંચી જશે ત્યારે બધીજ રાતો પહેલાથી પણ ભયાનક અંધકાર વાળી થઈ જશે. એનો મતલબ એવો થાય છે કે, કળિયુગની રાતોમાં પાપ અને ગુનાહો પહેલાથી પણ વધી જશે. લોકો તમારી સામે જોયેલી વસ્તુઓને પણ સાફ જુઠુ બોલી દેશે. ત્યાજ કળિયુગની રાત બધી રાત કરતા સૌથી લાંબી રાત હશે. કળિયુગની રાત એટલી અંઘકારમય હશે કે, દીવો પ્રગટાવા પર પણ જોઈ શકાય એવુ અજવાળુ નહી હોય. લોકો ખુબજ બેચેની એનુભવશે જ્યારે આ છેલ્લી રાત પસાર નહી થાય, અને બધી જ બાજુ વિનાશ જ જોવા મળશે.

કળિયુગની છેલ્લી રાતે પ્રકૃતિ અસ્થિર થઈ જશે. મુશળાધાર વરસાદના કારણે ચારે તરફ પાણી જ પાણી હશે. આખી ધરતી પર ફક્ત પાણી જ જોવા મળશે. વાવાઝોડાની સાથે આખી ધરતી તાંડવ કરતી જોવા મળશે. મનુષ્યના હૃદયના ધબકારા વધી જશે. કળિયુગની છેલ્લી રાત એટલી લાંબી હશે કે, એ રાત એક વર્ષ જેટલી લાંબી લાગશે.

કળિયુગની ચરમસીમામાં લોકો શારિરીક અને માનસિક રુપથી એટલા કમજોર પડી જશે કે, તેમના અંદર શારિરીક રુપથી મહેનત કરવા માટે તાકાત જ નહી બચે. માનસિક રુપથી પણ લોકો એટલા કમજોર બની જશે કે, કઠોર શબ્દો સાંભળતાની સાથે જ અસ્થિર બની જશે. કળિયુગની છેલ્લી રાત જ્યારે બધીજ જગ્યાએ મુશળાધાર વરસાદ હશે ત્યારે લોકો બચીને ભાગવાની કોશીશ કરશે પણ ભાગી નહી શકે કારણકે, તેમની અંદર ભાગવાની શક્તિ જ નહી હોય.

કળિયુગની છેલ્લી રાત અનાજની પણ કમી સર્જાશે. મુશળાધાર વરસાદ, ભુકંપ, અને વાવાઝોડાના લીધે વધારે પડતુ અનાજ વહી જશે, અને બાકી બચેલું અનાજ ખાવા લાયક નહી બચે. કળિયુગની છેલ્લી રાતે લોકો ભુખ અને તરસથી તડપતા જોવા મળશે. ભુખ અને તરસથી લોકોની સમજવા અને વિચારવાની શક્તિ નાશ પામશે. લોકોમાં ક્રોધ, ડર જેવા નકારાત્મક ભાવ પેદા થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here